ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિમાં આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે બે દિવસના લદ્દાખના પ્રવાસે છે. નરવણેએ ચીન સાથેની અથડામણમાં બહાદુરીથી લડનાર જવાનોને આજે કમેન્ડેશન કાર્ડ (પ્રશંસાપત્ર) આપ્યું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આર્મી ચીફે પૂર્વ લદ્દાખમાં સરહદ ઉપર તહેનાત સૈનિકોને મળીને વર્તમાન સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
General MM Naravane #COAS visited forward areas in Eastern #Ladakh and reviewed operational situation on the ground. #COAS commended the troops for their high morale and exhorted them to continue working with zeal and enthusiasm.#NationFirstpic.twitter.com/gc0rmw69Fs
— ADG PI - INDIAN ARMY (@adgpi) June 24, 2020
આર્મી ચીફે ઘાયલ જવાનોની મુલાકાત લીધી
નરવણેએ મંગળવારે લેહની આર્મી હોસ્પિટલમાં દાખલ સૈનિકોની મુલાકાત લઈ તેમની તબીયત જાણી હતી. ચીન સાથે 15 જૂનના રોજ થયેલી અથડામણમાં ગંભીર રીતે ઘાયલ 18 જવાનોની અહીં સારવાર ચાલી રહી છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી સેના પ્રમુખ પ્રથમવાર લદ્દાખ પહોંચ્યા છે. નરવણે પહેલા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પણ રવિવારે લદ્દાખની મુલાકાત લીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/m-m-naravane-issues-commendation-cards-to-troops-involved-in-clashes-with-china-127442362.html
0 Comments